અમદાવાદ મંડળના મહેસાણા-વિસનગર સેક્શનની ડીએફસીસી લાઇનને જગુદણ-મહેસાણા-વરેઠા સેક્શન પરના જગુદણ સ્ટેશનને કનેક્ટિવિટી સંબંધિત કાર્યને કારણે ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

1. 08 સપ્ટેમ્બર થી 09 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નં. 09497 ગાંધીનગર-વરેઠા સ્પેશિયલ રદ્દ રહેશે.

2. 09 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ રદ્દ રહેશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.