મા અંબાના દરબારમાં શીશ નમાવવા માટે રાજ્યભરમાંથી 1800 જેટલા પગપાળા સંઘો અંબાજી માટે પ્રસ્થાન કરે છે જેમાં અમદાવાદ શહેરમાંથી 60 સંઘો આ વર્ષે ભાદરવી પૂનમના મેળા માટે 1 સપ્ટેમ્બરે પ્રસ્થાન કરે છે દર વર્ષે શહેરના 2 મુખ્ય સંઘ જેવા કે વ્યાસવાડી સંઘ અને લાલ દંડા વાળો સંઘ પણ 2 સપ્ટેમ્બરના રોજ અંબાજી તરફ પ્રસ્થાન કરે છે જે આજે દાંતાના દરબારમાં પહોંચ્યો હતો ત્યારે દાંતાના દરબારમાં માં ની આરતી કરવામાં આવી હતી જયા દાંતા માં લાલ ડંડા સંઘનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેથી લાલ ડંડા સંઘનું આગમન થતાં જ અરવલ્લીની ગીરીમાળાઓ બોલ મારી અંબે જય જય અંબેના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠી હતી ત્યારે આવતી કાલે અંબાજીમાં લાલ ડંડા સંઘનું આગમન થશે‌ અને નેજા ચડાવશે આ વર્ષે અમદાવાદથી અંબાજી સુધી કુલ 220 ટેન્ટો, 30 મોબાઈલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ તેમ જ 30થી વધુ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું છે. શહેરમાંથી અમદાવાદથી 65 સંઘો પગપાળા જશે, જેમાં ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, નરોડા સંઘ, નારોલ સંઘ, વાડજ સંઘ, મણિનગર સંઘ જેવા મોટા સંઘો પણ અંબાજી પગપાળા આવી રહ્યા છે જે સંઘોની પોતાની પણ આગવી ખાસિયતો હોય છે. 2 વર્ષ બાદ તમામ સંઘો અંબાજી પગપાળા પહોંચશે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં જૂનામાં જૂનો સંઘ લાલ દંડા છે. આ સંઘની શરૂઆત 1835થી થઈ હતી. આ સંઘ પણ સતત 187 વર્ષથી અંબાજી આવે છે. આ સંઘની ખાસિયત એ છે કે, આ સંઘમાં સામેલ ભાવિકો લાલ દંડા પર લાલ ધજા સાથે અંબાજીના બજારોમાંથી નીકળે છે. અમદાવાદનો વ્યાસવાડી સંઘ પણ ઘણો જૂનો છે. આમ અંબાજી આવતા સંઘો 10 વર્ષથી લઈને 200 વર્ષથી ભાદરવી સુદ અગિયારસથી પૂનમ સુધી દર્શન કરીને ધજાઓ ચડાવવા પદયાત્રા કરીને આવે છે.