આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.