પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. ભાવનગર,એલ.સી.બી.નાં પો.હેડ કોન્સ. જે.વી.જાડેજા તથા ધર્મેન્દ્દસિંહ ગોહિલને બાતમીરાહે હકીકત મળેલ કે,’’ ભાવનગર,અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગુન્હાનાં નાસતાં-ફરતાં આરોપી વિપુલ ઉર્ફે વી.ડી. ધીરૂભાઇ બારૈયા રહે.વાડી વિસ્તાર, કુડા તા.જી.ભાવનગરવાળા હાલ કોળીયાક હાજર છે. જે હકિકત આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ કોળીયાક ખાતે જઇ આરોપીની તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી વિપુલ ઉર્ફે વી.ડી. ધીરૂભાઇ બારૈયા ઉ.વ.૨૬ રહે.વાડી વિસ્તાર, કુડા તા.જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.