શુક્રવારે સમી સાંજે સોનીબજારમાં આવેલી પી.મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના મેનેજર પાસેથી બંદૂકની અણીએ રૂા.19.56 લાખની લૂંટ ચલાવવાના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર રાજકોટના લૂંટારું સહિત ત્રણને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા સાંજ સુધીમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શુક્રવારે સાંજે પી.મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના મેનેજર પેઢીનો હિસાબ લઈને ઘેર આવ્યો ત્યારે આ ઘટના બની હતી. આંગડિયા પેઢીના મેનેજર રજનીકાંતભાઈ ગોવિંદલાલ પંડ્યા (ઉ.વ.62)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સોનીબજાર માંડવી ચોક, મોદી શેરીના ખુણા પાસે આવેલી પી.મગનલાલ એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આ આંગડીયા પેઢીની રાજકોટમાં બે બ્રાન્ચ છે જેમાં એક સોનીબજારની બ્રાન્ચ છે જે હું તેમજ ચંદનસિંહ ભરતજી વિહોર બન્ને સંભાળીયે છીએ અને બીજી બ્રાન્ચ ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં આવેલી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मगरपट्टा चौकातील महादेव मंदिराशेजारील पदपथावर राडारोडा
मगरपट्टा चौकातील महादेव मंदिराशेजारील पदपथावर ड्रेनेज लाईन खोदून राडारोडा टाकला आहे....
AAP नेता Sanjay Singh का आरोप, कहा 'Piyush Goyal के नेतृत्व में BJP सांसदों ने की बदसलूकी' | Aaj Tak
AAP नेता Sanjay Singh का आरोप, कहा 'Piyush Goyal के नेतृत्व में BJP सांसदों ने की बदसलूकी' | Aaj Tak
भारत-आसियान समिट में बोले मोदी- 21वीं सदी हमारी है:कहा- हम शांति प्रिय देश
प्रधानमंत्री मोदी ने गुरुवार को लाओस की राजधानी वियनतियाने में इंडिया-आसियान समिट में हिस्सा...
અમીરગઢ બોર્ડર પરથી મોટી માત્રા માં ચલણી નોટો ઝડપાઈ..
અમીરગઢ બોર્ડર પરથી મોટી માત્રા માં ચલણી નોટો ઝડપાઈ..