અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.