ખેડૂતો ને બટાકાના ભાવ ન મળતાં ખેડૂતો વિફર્યા... બટાકા ન વાવવાનો લીધો નિર્ણય

બનાસકાંઠા ના ખેડૂતો ને ફાર્મિગ સિસ્ટમ માં પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાના ખેડૂતો એ અમીરગઢમાં મિટિંગ કરીને આકરો નિર્ણય લીધો છે.

બટાકા ની ખેતીમાં પૂરતા ભાવો ન મળતાં બનાસકાંઠા સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો અમીરગઢ માં. મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા અને ફારમિંગ સિસ્ટમ થી બટાકા વવનાર ખેડૂતોને કંપની દ્વારા પુઆર્તા ભાવ ન મળતાં આ પદ્ધતિને જાકારો આપવા માટે ની સપથ લેવામાં આવી હતી બટાકાની કંપનીઓ સામે ભાવ માટે જંગે ચડેલા ખેડૂતો એ આ વરસે હજી સુધી બટાકાનું વાવેતર કરેલ નથી બનાસકાંઠામાં દર વર્ષે દસ લાખ કટ્ટાઓ બટાકાનું વાવેતર થઇ રહ્યું હતું જેની સામે આ વર્ષે એકપણ ખેડૂતે બટાકા વાવેલ નથી અને કંપનીઓ સામે પૂરતા ભાવ એટલેકે મણ દીઠ 300 રૂપિયા આપવામાં આવશે તો જ બટાકાનું વાવેતર કરવામાં આવશે તેવા સપથ લેવામાં આવ્યા હતા. જ્યાં સુધી બટાકા ના પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી બટાકા ની વાવણી ન કરવાનો આકરો નિર્ણય લઈ ચૂકેલા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો એ બીજી વાર અમીરગઢ માં મિટિંગ યોજી હતી જેમાં ત્રણેય જિલ્લાના પંદરસો જેટલા ધરતીપુત્રો આવ્યા હતા કંપનીઓ સામે મોરચો ખોલી બેટેલા ખેડૂતો એ બટાકા ના ભાવ ન મળે તો અન્ય ખેતી કરવી પરંતુ બટાકાની ખેતી ન કરવાનો નિર્ણય લીધો હોવાથી બટાકાના બિયારણ આપનાર કંપનીઓ ખેડૂતોને ભરમાવાના પ્રયાસો કરી રહ્યા છે અને એક એક ખેડૂત ને પ્રસાનલી મળી રહ્યા છે પરંતુ આવા કોન્ટ્રાક્ટરોન ને સિધિલિ ટીમાં જાકારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં સરકાર પાસે પણ એની માંગ કરવા માટે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ખેડૂતોએ બતાવી હતી.