ઈન્દીરા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં કામ કરતી નર્સે આરોપી યુવરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા (રહે. રેલનગર, પોપટપરા પાસે, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી કે, કોરોનાની સારવારમાં દાખલ થયેલા દર્દીના ભાઈ યુવરાજસિંહ સાથે પરિચયમાં આવ્યા પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરવા ફરવા જતા ભાગીદારીમાં ગાડી લેવા આરોપીને રૂ. 1.30 લાખ આપ્યા હતા. એ રૂપિયા પરત માંગતા યુવરાજસિંહે નર્સને ઢીકા પાટુનો મુંઢ માર મારી ડાબા કાંડાના ભાગે છરીથી છરકો કરેલ, અને બન્નેના ફોટા પાડી લીધા હોય તે બતાવી બળજબરી પૂર્વક ચારથી પાંચ વખત બદકામ કરેલ અને ધમકીઓ આપેલ. આરોપીને જેલ હવાલે કરાયા બાદ આરોપીએ તેના વકીલ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અંગે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અરજીમાં આરોપીના વકીલની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુન્હો ખોટી રીતે નોંધવામાં આવેલ છે તેવા નિર્ણય ઉપર આવી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલિયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુગાર રમતા ૧૧ શખ્સોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રોકડ સહિત ૫.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
વઢવાણ પોલીસ મથકની હદમાં પોલીસ લાઈનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમાતો...
મહુવા મા લમ્પી વાયરસથી પશુધન (ગાયો) ને બચાવવા માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર ચાલુ કરવા આવેદનપત્ર
મહુવા પત્રકાર એસોસિએશન દ્વારા લમ્પી વાયરસથી પશુધન (ગાયો) ને બચાવવા માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಜುಲೈ 28 29ರಂದು ಕೆ ಪಿ ಪೂರ್ಣಚಂದ್ರ ತೇಜಸ್ವಿ "ಸಮಗ್ರ ಕೃತಿ ಜಗತ್ತು" - 14 ಸಂಪುಟಗಳ ಬಿಡುಗಡೆ ಸಮಾರಂಭ ನಡೆಯಲಿದೆ.
ಜುಲೈ 25, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ' ಮಾಧ್ಯಮ ಅನೇಕ' ಸಂಸ್ಥೆಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
તિસ્તા સેતલવાડે હાઇકોર્ટમાંથી જામીન ન મળતા અંતે સુપ્રિમકોર્ટના દ્રાર ખટખટાવ્યા
ગુજરાત 2002માં કોમી રમખાણામાં મુંબઇના સામજિક કાર્યકર તિસ્તા સેતલવાડે ખોટા દસ્તાવેજો ઉભા કરી...