જસદણના ગંગાભુવન વિસ્તારમાં આવેલ સાંદિપની સંસ્કાર વિદ્યાલય વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સાંદિપની સંસ્કાર વિદ્યાલય જસદણ શાળા માં ધોરણ: - 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અલગ-અલગ અંદાજ માં વાર્તા ની મૌખિક રજૂઆત કરાઈ હતી. જેમાં સ્પર્ધાના કન્વીનર શ્રી વિલાસબેન નાગલા શાળાના આચાર્ય શ્રી પરિમલસર ભુવા તેમજ વર્ષાબેન સખીયા અને શાળાના સંસ્થાપક શ્રી ડો. સંજયસર સખીયા દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધા વિશેનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ સ્પર્ધામાં ઉત્તીર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.