સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર લોકમેળાના બીજા દિવસે માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં થાનગઢના લોક સાહિત્યકાર શ્રી કિશોરદાન ગઢવી અને સાથી કલાકાર વૃંદ દ્વારા સાહિત્ય અને ભજનની સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જે સાંભળી વિશાળ જનમેદની રસ તરબોળ થઈ ગઈ હતી. શ્રી કિશોરદાન ગઢવીએ પાંચાળ પ્રદેશના તરણેતરમાં ત્રિનેત્રશ્વર ભગવાનના મહાત્મ્ય વિશે સાહિત્યિક રજૂઆત કરીને લોકોને આ સ્થળના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ લોકડાયરામાં રાજુભાઈ સાકરીયાએ લોકગીતોની રમઝટ બોલાવી હતી તેમજ કલાકાર સાગરભાઈ પ્રજાપતિએ ભગવાન શંકર, ભગવાન દ્વારકાધીશના ભજનો રજૂ કર્યા હતા. દેવિકાબેન મહેતાએ મા મોગલ, મા શક્તિની આરાધના કરતા ગીતો રજૂ કર્યા હતા. આ લોકડાયરામાં ઉસ્માન સંગીતની ટીમ દ્વારા સંગીતની વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ભવાઈ, ડાયરા, કથા-કિર્તન સહિતના પરંપરાગત સમૂહ માધ્યમના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ જન જાગૃત્તિની બાબતો, યોજનાકીય બાબતોનો ગ્રામ્ય સ્તરે અસરકારક પ્રચાર કરવા આ પ્રકારનાં કાર્યક્રમો અને સહાય આપવામાં આવે છે. તરણેતરના લોકમેળામાં પણ માહિતી વિભાગ દ્વારા પ્રતિ વર્ષ લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. આ લોકડાયરામાં માહિતી કચેરીના કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના 71 લાખ પરિવારોને રાહત, સિંગતેલ 200ના બદલે 100 રૂપિયા મળશે. સરકારે લીધો નિર્ણય
ખાદ્યતેલના આસમાનને આંબી રહેલા ભાવોએ હવે લોકોની કમર તોડી નાખી છે. ખાદ્યતેલોની કિંમત એટલી વધી રહી...
नगर निगम कोटा उत्तर उपचुनाव में कांग्रेस उम्मीदवार विजयी
कोटा उत्तर नगर निगम के वार्ड 36 के उपचुनाव में कांग्रेस उम्मीदवार विजयी भाजपा उम्मीदवार को 1372...
केशोरायपाटन में कार्तिक मेले एंव कार्तिक पूर्णिमा महास्नान के आयोजन को लेकर पालिका वाइस चेयरमैन राजविंता गौचर ने पाषदो के साथ किया मेला स्थल,स्नान घाटों का निरीक्षण।
केशोरायपाटन में कार्तिक मेले एंव कार्तिक पूर्णिमा महास्नान के आयोजन को लेकर पालिका वाइस चेयरमैन...
আজাদি কা অমৃত মহোৎসৱ’ৰ সন্দৰ্ভত মাহমৰা ৰাজহ চক্ৰৰ বিষয়া ইণ্ডিকা গগৈৰ মৰাণ আৰু মাহমৰা বাসীলৈ আহ্বান।
আজাদি কা অমৃত মহোৎসৱ’ৰ সন্দৰ্ভত মাহমৰা ৰাজহ চক্ৰৰ বিষয়া ইণ্ডিকা গগৈৰ মৰাণ আৰু মাহমৰা বাসীলৈ...
પેટલાદમાં પંજાબના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
પેટલાદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાય હતી. જેમાં પંજાબના ધારાસભ્ય અજય ગુપ્તા ખાસ...