રાજકોટ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શો રૂમની ચાર લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાંચે શકમંદ આરોપીના સીસીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. અને આ શખ્સ ક્યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.આ ચોરીના બનાવની વિગત મુજબ, એસ્ટ્રોન સિનેમા પાસે, સરદારનગર - 18માં રહેતા લોહાણા વેપારી જીતેશભાઈ લક્ષ્મીદાસ લાખાણી (ઉ.વ.55)એ એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર રોડ, કડીયા નવલાઈન - 2 ખાતે નોવેલ્ટી ફેબ્રિકેસ નામે બાળકો માટેની આઈટમનો શો રૂમ છે, હોલ સેલ વેપાર કરે છે.બીજી દુકાન ટીનીમીની બેબી મોલ 2-કડીયા નવ લાઈન ખાતે છે. જ્યારે રઘુવીરપરા - 4 માં ત્રીજી દુકાન સિયારામ ટ્રેડ લિંક આવેલી છે. આ બન્ને દુકાનોનો જે કંઈ વકરો થાય તે દરરોજ નોવેલ્ટી ફેબ્રિકેસ શો રૂમ ખાતે રાખવામાં આવતો. અને બાદમાં બેંકમાં જમા કરાવતા. તા.14 ઓગષ્ટએ ત્રણેય દુકાનનો વકરો આશરે રૂ.4 લાખ થયો હતો. તે શો રૂમના ટેબલના ડ્રોઅરમાં રાખ્યો હતો.પરંતુ બીજે દિવસે તા.15 ઓગષ્ટના રોજ દુકાન ખોલતા ડ્રોઅરનો સામાન વેર વિખેર હતો અને રૂ.4 લાખની રોકડ ગાયબ હતી. તપાસ કરતા શો રૂમના ચોથા માળે અગાશી પરનો દરવાજો તૂટેલો હતો અહીંથી કોઈ શખ્સે શો રૂમમાં ઘુસી રોકડની ચોરી કરી હતી. 19 ઓગષ્ટએ ફરિયાદ નોંધાયા પછી ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ પર લેતા એક શકમંદ સીસીટીવીમાં નજરે પડ્યો છે. જેની શોધખોળ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં “શાળા છોડયાનું પ્રમાણપત્ર” માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી 
 
                      ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં “શાળા છોડયાનું પ્રમાણપત્ર” માટે કોઈપણ પ્રકારનો ચાર્જ...
                  
   જામનગરમાં હરી દર્શન એપાર્ટમેન્ટમાં ગણપતિ ઉત્સવ દરમ્યાન અમરનાથ યાત્રા દર્શન 
 
                      જામનગરમાં હરી દર્શન એપાર્ટમેન્ટમાં ગણપતિ ઉત્સવ દરમ્યાન અમરનાથ યાત્રા દર્શન
                  
   વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨
મતગણતરી કેન્દ્રની આજુબાજુના રસ્તાઓ પર વાહનોની અવર - જવર પર પ્રતિબંધ 
 
                      વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે થનાર મતદાનની ગણતરી તા. ૦૮/૧૨/૨૦૨૨ના રોજ એસ.એન. ડી. ટી....
                  
   ધોળા દિવસે ભરબજારમાંથી ખેડૂતના મોટરસાયકલની ડીકીમાંથી ત્રણ અજાણ્યા તસ્કરો રૂ. 2,19,000 ભરેલી કાપડની થેલી લઇ જતાં ચકચાર મચી 
 
                      પાટડી તાલુકાના મીઠાઘોડાનો ખેડૂત ખારાઘોડા અને પાટડી બેંકમાંથી નાણા ઉપાડી કપડાની થેલી મોટરસાયકલની...
                  
   
  
  
  
   
  