પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક, લાઇફ મિશનના પ્રણેતા સિધ્ધ યોગી સ્વામી રાજર્ષિમુનિજી 92 વર્ષની વયે ગઇકાલે વડોદરા ખાતે બ્રહ્મલીન થયા હતા. તેમના પાર્થિવ દેહને લીંબડી પાસેના રાજરાજેશ્વર ધામ ખાતે લવાયો હતો. અને આજે બપોરે હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં પૂ. રાજર્ષિમુનિજીના અંતિમ સંસ્કાર વિધિ રાજરાજેશ્વર ધામ ખાતે શોકમય વાતાવરણ વચ્ચે કરવામા આવી હતી. જ્યારે અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ભકતોની આંખો અશ્રુભીની થઇ હતી.

લાઇફ મિશન સાથે સંકળાયેલા અમલાનંદજીએ જણાવ્યું હતું કે, રાજર્ષિ મુનિને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમનું દેહાવસાન થયું છે. તેમના પાર્થિવદેહને આજે બપોરે 2 વાગ્યા સુધી વડોદરા નજીક મલાવ ખાતે આશ્રમમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ તેમના નશ્વરદેહને લીંબડીના જાખણ ખાતે લઈ આવવામાં આવ્યો છે. અને ત્યાં આજે સવારે 11 વાગ્યે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે અનેક રાજકીય લોકો પણ તેમના દર્શન માટે હાલમાં જાખણ ગામ ખાતે ઉમટી પડ્યા છે. તેમજ તેમના સેવકો પણ મોટી માત્રામાં લીંબડીના જાખણ ગામ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. અને તેમની સ્મશાન યાત્રા પાલખીયાત્રા 11:30 વાગે ઝાંખણ ગામ ખાતે મંદિરેથી નિકળી હતી.આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પણ આવેલાં છે

વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન બદલ સિદ્ઘયોગી સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી અવોર્ડ એનાયત કર્યો હતો. રાજર્ષિ મુનિના માર્ગદર્શન હેઠળ એક લાખથી વધુ લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સામેલ છે. તેઓ લકુલીશ ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઇમેન્ટ મિશન (લાઇફ મિશન)ના પ્રણેતા છે. આ સંસ્થાનું વડું મથક રાજરાજેશ્વરધામ, લીંબડી ખાતે આવેલું છે. આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પણ આવેલાં છે. રાજર્ષિ મુનીના લગભગ 36 જેટલાં અંગ્રેજી ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને એમાંના કેટલાકનો રશિયન, ઇટાલિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ થયો છે, જ્યારે ગુજરાતીમા 116 જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે.રાજર્ષિ મુનિનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો, રાજર્ષિ મુનિનું પૂર્વાશ્રમનું નામ યશવંતસિંહ જાડેજા હતું. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1931ના રોજ ક્ષત્રિય પરિવારમાં થયો હતો.તેમણે પ્રાથમિક શિક્ષણ રાજપૂત બોર્ડિંગ લીંબડીમાં પૂર્ણ કરી ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ પૂણે વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્રમાં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 9 ફેબ્રુઆરી 1971ના રોજ કૃપાલવાનંદજી પાસેથી તેમણે દીક્ષા પ્રાપ્ત કરી યશવંતસિંહ જાડેજાથી રાજર્ષિ મુનિ બન્યા.બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવનું મંદિર સ્થાપ્યું છે. જેમને રાજકીય ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના સેવા કરીએ કાર્યો કર્યા છે. જેના કારણે તેમની એક પોતાની એક આગવી ઓળખ બની હતી. અને જેઓને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતુ. અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતુ. તેમજ હાલમાં અનેક રાજકીય આગેવાનો જાખણ ગામ ખાતે દોડી આવ્યા છે. અને દર્શનનો લાભ લઈ રહ્યા છે, તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે, પૂ. મોરારીબાપુએ પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.