સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહનો પાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે. જે લોકોના સ્વાસ્થ અને જાહેર માર્ગ સલામતિને ભયરૂપ હોય માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. આથી આમ જનતાની સલામતીના હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી- જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી હિતેષ કોયા દ્વારા જાહેર રસ્તાઓજાહેર માર્ગોફૂટપાથો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

     આ પ્રતિબંધિત વિસ્તાર રિલાયન્સ માર્ટ સામેબેરણા રોડહિંમતનગરજૂની જિલ્લા પંચાયતની આગળ રેલવે ફાટક સામેદુર્ગા કોમ્પ્લેક્સવાળા રેલવે ફાટક પાસેસી.સી શેઠના પેટ્રોલ પંપ સામે ગળનાળા ઉપરજેપી મોલ સામે મહાકાલી -ગાયત્રી મંદિર રોડધાણધા ફાટક પાસેછાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસેબળવંતપુરા ફાટક પાસેડેમાઇ રોડ આ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

      આ જાહેરનામુ પ્રસિધ્ધ થયેથી દિન ૬૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.