કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર અને સરકારી જગ્યા પર બનેલા ગેરકાઈને તબેલા દૂર કરવાની કામગીરી આક્રમક રીતે શરૂ કરવામાં આવી છે. પાલિકા અને સરકારની જગ્યા પર બનેલા ઢોરના તબેલા દૂર કરવાની કામગીરી સાથે ઢોર પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલાં કતારગામ જોને ડિમોલિશન કર્યું હતું તે જગ્યાએ આજે માલધારી સમાજના લોકો ભેગા થયા હતા. આ લોકો એ પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો