હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે ગ્રંથાલય વિભાગના ઉપક્રમે તારીખ : ૨૬-૦૮-૨૦૨૨ ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલ ના ની પ્રેરણા અને અધ્યક્ષ સ્થાને જનરલ નોલેજ સેમિનાર યોજાયો. સેમિનારના મુખ્ય વક્તા શ્રી હરગોવનભાઈ પટેલે વક્તવ્ય આપતા જણાવ્યું કે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી અને તે માટે કયા રેફરન્સ બુકોનો ઉપયોગ કરવો તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ સેમિનારમાં ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ પી એચ પટેલે અને આભાર વિધિ ગ્રંથપાલ બી એમ ગોસ્વામી કરી હતી સૌ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ના પ્રમુખ ડૉ ડી એલ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર