આજ રોજ તા 24/08/2022ને બુધવાર ના દિવસે અમારી ફતપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા મુકામેથી વડવાસ ગામે લીમડા હનુમાન (પંચમુખી હનુમાનજી) મંદિર સુધી પગપાળા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ની તમામ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફગણ જોડાઈને મંદિર નાં પટાંગણ માં ભજન કીર્તન કરી અને પંચમુખી હનુમાનજી દશર્ન કરી ને પવિત્ર શ્રાવણ માસમાં ધન્યતા અનુભવી હતી. જેમાં આ પગપાળા પ્રવાસનું આયોજન પ્રવાસ સમિતિના અધ્યક્ષ શ્રી એચ. જે. પારગી તથા સહ કનવિનર શ્રી એચ.પી.આમીન આ સમગ્ર પ્રવાસ નું આયોજન કર્યું હતું. તેમજ શાળા ના આચાર્ય શ્રી જે. આર. પટેલ અને શિક્ષકો દ્વારા સમગ્ર પ્રવાસ ના આયોજનમાં સાથ સહકાર આપવા આવ્યો હતો.