આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.