દાહોદ : ભાઠીવાડા ખાતે પી.એચ.સી ના રાત્રી ડ્યુટી સ્ટાફ નર્સની બેદરકારી સામે આવી.

દર્દી શારદીબેન ભૂરિયા (ગર્ભવતી) ને પ્રસવ પીડા થતા પી.એચ.સી. ખાતે લાવવામાં આવ્યા હતા.

હાજર સ્ટાફે હમણાં ડિલિવરીમાં વાર છે અને હમણાં તમે ઘરે જતા રહો એવું કહી તેમને એડમિટ ના કરી ઘરે મોકલ્યા હતા.

દર્દી ઘરે જતા રસ્તામાં જ પ્રસવ પીડા ઉપડતા ત્યાં બાળકનો જન્મ થયો.  

ગ્રામજનો અને તાલુકા સભ્ય નીરજ મેડા પી.એચ.સી ખાતે પહોંચી સ્ટાફ સામે સીક્ષાત્મક પગલા લેવા તંત્ર ને કરી રજુઆત.