ડીસા તાલુકાના જૂન માસમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની એક પેન્શન ઇજફો મેળવવા માટેની બેઠક મળી 

 સાઈબાબા મંદિર ખાતે આજે જૂન માસમાં નિવૃત થયેલા તમામ ખાતાના કોઈપણ હોદ્દો ધરાવતા બધા કર્મચારીઓ અધિકારીઓને એક પેન્સન ઇજફો મળવાપાત્ર છે .આ બાબતે વ્યક્તિગત રીતે કોર્ટમાં રહેલા મિત્રોની તરફેણમાં ચુકાદો આવ્યો છે. ગુજરાત સરકાર આ કાયદા સામે સુપ્રિમકોર્ટમાં ગયેલ, ત્યાં પણ ચુકાદો કર્મચારીઓની તરફેણ માં આવ્યો છે .જૂન માસમાં નિવૃત્ત થયેલા ડીસા તાલુકાના કર્મચારી ઓની એક પેન્શન ઇજાફો મેળવવા માટેની બેઠક શ્રી નાગરભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી હતી . ઉપસ્થિત સૌ કર્મચારીઓ એ ગાંધીનગર ખાતે ની તારીખ 30 /06/ 2023 ની બેઠકમાં જવા માટેની સ્ટ્રેટેજી નક્કી કરી હતી. આ બેઠકમાં શ્રી.અમરતભાઈ પટેલ,શ્રી. પ્રવીણભાઈ સાધુ ,શ્રી.ચંદુભાઈ એટીડી અને જયંતીભાઈ ટી. પટેલે પોતાના વિચારો રજૂ કર્યા હતા..