સણોસરા પાસે કૃષ્ણપરા ગામે શ્રી તપસ્વીબાપુના આશ્રમમાં ધર્મ સંસ્કાર પ્રવૃત્તિ વિવિધ પર્વ તિથિ ઉજવણી સાથે ચાલી રહેલ રામરોટી ગોહિલવાડ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીના સ્મરણ સાથે સણોસરા નજીક વસેલા કૃષ્ણપરામાં સામાજિક ધાર્મિક સંસ્કાર પ્રવૃત્તિ માટે શ્રી તપસ્વીબાપુના આશ્રમમાં સેવકો કાર્યરત રહે છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારના રાજવી પરિવારમાંથી ગોહિલવાડના આ સણોસરા પાસે કૃષ્ણપરા ગામે લગભગ ૩૮ વર્ષ પહેલાં શ્રાવણ માસમાં આગમન થયું શ્રી તપસીબાપુનું. આ ગામના ભાવિક ખેડૂત શ્રી રૂપશંગભાઈ નાનજીભાઈ ગોહિલે પોતાના ખેતર વાડીમાં ઉતારો આપી, સેવા પૂજામાં જોડાયા. આ દરમિયાન જ આ મહારાજ માટે વધુ જગ્યા ફાળવી આશ્રમ નિર્માણ પણ કરી આપ્યો. શ્રી તપસ્વીબાપુ એટલે 'તપસીબાપુ'. આ તપસીબાપુએ આશ્રમે ભગવત સ્મરણ સાથેની સ્વાભાવિક સાધના શરૂ રાખી અને આજે અહીંયા શ્રી હનુમાનજી મંદિર અને સાધુ નિવાસ વગેરે નિર્માણ થયેલા છે. શ્રી તપસ્વીબાપુના દેહાવસાન પછી સેવકો દ્વારા સમાધી સ્થાન પણ નિર્માણ કરાયું છે. જમીનના દાતા પરિવારના જ પુત્ર શ્રી હરિશંગભાઈ ગોહિલ પોતાના પિતાએ કરેલા દાનનું ગૌરવ અનુભવી જણાવે છે કે, શ્રી તપસ્વીબાપુની કૃપા સાથે અહોભાવ વ્યક્ત કરતા કહે છે કે, અહીંયા શિવરાત્રી, હનુમાન જયંતિ, ગુરુપૂર્ણિમા તેમજ તપસ્વીબાપુની નિર્વાણ તિથિ ભાવ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. અહી વિવિધ પર્વ તિથિ ઉજવણી સાથે રામ રોટી ચાલી રહેલ છે. સિહોર તાલુકામાં ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર સણોસરા પાસેના આ કૃષણપરા ગામે આ આશ્રમમાં શ્રી તપસીબાપુના દેહાવસાન બાદ શ્રી કૌશિકબાપુ અને તે પછી શ્રી સુરેશબાપુએ આશ્રમની ગાદી સંભાળી હતી. હાલ શ્રી રામદાસજીબાપુના સાનિધ્ય સાથે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શિવ પૂજા અર્ચના થઈ રહેલ છે. વૃક્ષ છોડ અને રમણીય વાતાવરણ વચ્ચે આ આશ્રમમાં ચાલતી ધર્મ સંસ્કાર પ્રવૃત્તિ દર્શનીય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय जनता पार्टी के जिलाध्यक्ष रामबिहारी चौरसिया का केक काट कर मनाया जन्मदिन!!
भारतीय जनता पार्टी के जिलाध्यक्ष रामबिहारी चौरसिया का केक काट कर मनाया जन्मदिन!!
GUJARAT : રાષ્ટ્ર વિકાસ મોરચા ગઠબંધનની યોજાઈ બેઠક
#buletinindia #gujarat #india
Jio vs Airtel: अनलिमिटेड इंटरनेट वाले एनुअल प्लान और ओटीटी बेनिफिट्स के मामले में कौन बेस्ट
आप अपने लिए कोई ऐसे प्लान की तलाश कर रहे हैं जो 1 साल का वैलिडिट के साथ OTT का सब्सक्रिप्शन देता...
Supreme Court rejects PIL to declare Sanskrit as national language
SupremeCourt dismissed a plea seeking to declare Sanskrit a national language while observing...
भजनलाल सरकार के 6 महीने हुए पूरे,कई बड़े फैसलों की विपक्ष ने भी की तारीफ !
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा के कार्यकाल के 6 महीने पूरे हो गए हैं. विधानसभा चुनाव 2023...