રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાયા...

તા.22/8/2022 ના રોજ પાટણ જિલ્લા મંત્રી અને શંખેશ્વર કોલેજ ના સંસ્કૃત પ્રોફેસર ..સમસ્ત બ્રહ્મ સમાજ ના રાજ્યકક્ષા ના ઉપાધ્યક્ષા એવા મૂળ રાજકોટ ના વતની અને ગુજરાત રાજકોટ ગરબા કવીન અને રાજકોટ ની રાધા પંચદેવ મંદીર ગાંધીનગર ખાતે ઝૂમી ઊઠયા:

  સંસ્કૃત ના પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર ના દિવસે ગાંધીનગર ના પ્રસિધ્ધ પંચદેવ મંદીર ખાતે રાજકોટ થી આવી પહોંચ્યા હતા.પંચદેવ મંદિરના પૂજારી શ્રી ભાનુભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી કૌશલ્યા બહેન અને ભજન મંડળ ની બહેનો દ્વારા તેમનું ભાવ ભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના પંચદેવ મંદિરે રાધા ભજન મંડળ દ્વારા કૃષ્ણ ના ભજન ની રમઝટ ચાલતી હતી ભજનિક બહેનો ખંજરી અને ઢોલકના માધ્યમ થી સંગીતમય ખૂબ ભક્તિમય માહોલ સર્જાયો હતો. તે સમયે રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાઈ ગયા હતા.અને માથે ગરબો મૂકી ખૂબ નાચ્યા હતા. અને કૃષ્ણ ભક્તિ માં તલ્લીન બનીયા હતા. ભાવિક ભક્તો દર્શન અર્થે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેઓ એક જિલ્લા મંત્રી બહેન ની આ ધાર્મિક ભક્તિ અને નિખાલસ વ્યક્તિત્વ જોઈ જોઈ ખૂબ આશ્ચર્ય ચકિત થયા હતા.આ પ્રસંગે ગત રોજ રાધા ભજન મંડળી તરફથી આરતી કરવાનું પણ સદભાગ્ય પ્રાપ્ય થયું હતું.ગાંધીનગર નગર ના સામાજિક કાર્યકર શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ અને ડૉ ગુલાબચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ કુંજલ વંદે માતરમ્ સંસ્થા ના રાષ્ટ્રીય મહા સચિવ છે. રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત ભારતી ના સેવાકીય સમર્પિત સેવિકા સંસ્કૃત અધ્યાપિકા અને સંસ્કૃત વિદૂષી ડો. કુંજલ બહેન ત્રિવેદી ને ગુજરાત સીને ગ્રેવા સમગ્ર ગુજરાત ના શ્રેષ્ઠ સંસ્કૃત અધ્યાપિકા એવોર્ડ થી સન્માનિત થયેલા છે. ડૉ કુંજલ નો ભક્તિભાવ જોઈ આશ્ચર્ય પામી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ કુંજલ ત્રિવેદી એ તારીખ 31 ડીસેમ્બર ના ૨૦૨૨ ના રોજ તેઓનો જન્મદિવસ પણ અહીં પંચદેવ મંદીર ખાતે સૂર્ય નારાયણ ની પૂજા કરી ઉજવ્યો હતો. ડૉ કુંજલ ત્રિવેદી ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અને જણસારી ટ્રસ્ટના મંત્રી શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

તા.22/8/2022 ના રોજ પાટણ જિલ્લા મંત્રી અને શંખેશ્વર કોલેજ ના સંસ્કૃત પ્રોફેસર ..સમસ્ત બ્રહ્મ સમાજ ના રાજ્યકક્ષા ના ઉપાધ્યક્ષા એવા મૂળ રાજકોટ ના વતની અને ગુજરાત રાજકોટ ગરબા કવીન અને રાજકોટ ની રાધા પંચદેવ મંદીર ગાંધીનગર ખાતે ઝૂમી ઊઠયા:

  સંસ્કૃત ના પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર ના દિવસે ગાંધીનગર ના પ્રસિધ્ધ પંચદેવ મંદીર ખાતે રાજકોટ થી આવી પહોંચ્યા હતા.પંચદેવ મંદિરના પૂજારી શ્રી ભાનુભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી કૌશલ્યા બહેન અને ભજન મંડળ ની બહેનો દ્વારા તેમનું ભાવ ભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના પંચદેવ મંદિરે રાધા ભજન મંડળ દ્વારા કૃષ્ણ ના ભજન ની રમઝટ ચાલતી હતી ભજનિક બહેનો ખંજરી અને ઢોલકના માધ્યમ થી સંગીતમય ખૂબ ભક્તિમય માહોલ સર્જાયો હતો. તે સમયે રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાઈ ગયા હતા.અને માથે ગરબો મૂકી ખૂબ નાચ્યા હતા. અને કૃષ્ણ ભક્તિ માં તલ્લીન બનીયા હતા. ભાવિક ભક્તો દર્શન અર્થે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેઓ એક જિલ્લા મંત્રી બહેન ની આ ધાર્મિક ભક્તિ અને નિખાલસ વ્યક્તિત્વ જોઈ જોઈ ખૂબ આશ્ચર્ય ચકિત થયા હતા.આ પ્રસંગે ગત રોજ રાધા ભજન મંડળી તરફથી આરતી કરવાનું પણ સદભાગ્ય પ્રાપ્ય થયું હતું.ગાંધીનગર નગર ના સામાજિક કાર્યકર શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ અને ડૉ ગુલાબચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ કુંજલ વંદે માતરમ્ સંસ્થા ના રાષ્ટ્રીય મહા સચિવ છે. રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત ભારતી ના સેવાકીય સમર્પિત સેવિકા સંસ્કૃત અધ્યાપિકા અને સંસ્કૃત વિદૂષી ડો. કુંજલ બહેન ત્રિવેદી ને ગુજરાત સીને ગ્રેવા સમગ્ર ગુજરાત ના શ્રેષ્ઠ સંસ્કૃત અધ્યાપિકા એવોર્ડ થી સન્માનિત થયેલા છે. ડૉ કુંજલ નો ભક્તિભાવ જોઈ આશ્ચર્ય પામી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ કુંજલ ત્રિવેદી એ તારીખ 31 ડીસેમ્બર ના ૨૦૨૨ ના રોજ તેઓનો જન્મદિવસ પણ અહીં પંચદેવ મંદીર ખાતે સૂર્ય નારાયણ ની પૂજા કરી ઉજવ્યો હતો. ડૉ કુંજલ ત્રિવેદી ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અને જણસારી ટ્રસ્ટના મંત્રી શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.