સોમનાથ,તા.22

શ્રાવણના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને  પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન જીલ્લા વિકાસ અધિકારી  શ્રી રવિન્દ્ર ખતાલે સાહેબ ,જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રી દિલિપભાઇ ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું.