આજરોજ દાહોદ ખાતે દેસાઈવાડ સ્થિત શ્રી દશાનીમા વણિક‌ સમાજ વાડી ખાતે ડો.રાહુલભાઈ ધરીયા તથા તેમની ટીમ દ્વારા નિર્મિત ગોમય (ગાયના છાણ) ની ગણેશ અને અન્ય પ્રતિમાઓ સહિત ઘડિયાળ, તોરણ, મોબાઈલ સ્ટેન્ડ, કિચેઈન, ગોમયના સાબુ, પૂજાની થાળી, ફ્લાવરવાઝ, ગોનાઈલ (ગોમયનું ફિનાઈલ), ચમચી સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ, ધૂપસળી, કેશતેલ જેવી વિવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને સાવ નહિંવત્ દરે વેચાણ કરવામા આવ્યું હતુ.  

ગોમય (ગાયના છાણ) અને સાવ કુદરતી ગુંદર ગણાતી મેંદાલકડીના મિશ્રણ વડે તૈયાર થતી જે તે પ્રોડક્ટ્સ ખરેખર અદ્દભૂત જ છે.