ડીસા તાલુકાના ચત્રાલા નજીક આવેલ ખેતરમાં મંગળવારે અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં 100 થી વધુ બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં જાગૃત ખેડૂત અને આજુબાજુના ખેડૂતો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ કર્મચારીને તાત્કાલીક ટેલિફોનીક વાત કરતાં વીજ લાઇન બંધ કરી હતી અને મોટી દુર્ઘટના ટાળી હતી.

દાંતીવાડા નજીક આવેલ ડીસા તાલુકાના ચત્રાલા ગામના નાગજીભાઇ વીહાભાઇ દેસાઇના ખેતરમાં મંગળવારે અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં 100 થી વધુ બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં જાગૃત ખેડૂત અને આજુબાજુના ખેડૂતો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જેમાં જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ કર્મચારીને તાત્કાલીક ટેલિફોનીક વાત કરતાં વીજ લાઇન બંધ કરી હતી અને મોટી દુર્ઘટના ટાળી હતી. જેના કારણે ખેડૂતને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતનો મહેનતનો તૈયાર થયેલો કોળિયો પલવારમાં નષ્ટ થઇ જતાં પરિવાર આભ તૂટી પડ્યો હતો.

આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, યુ.જી.વી.સી.એલ.ની બેદરકારીના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. સમયસર જાળવણી અને જોખમી લાઇનોનું સમારકામ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય તેમ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ ઘટનામાં ખેડૂતને મોટું આર્થિક નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂત દ્વારા સરકાર અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પાસે યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી છે. ગ્રામજનોએ પણ તાત્કાલીક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. જ્યારે ખેડૂતને પૂળામાં અંદાજીત રૂ. 2,500 નું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.