પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દાહોદ પ્રવાસ દરમિયાન નાગરિક સુવિધા અને સુરક્ષા માટે વિશેષ કંટ્રોલ રૂમની વ્યવસ્થા દાહોદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે, ૨૬મી મે, ૨૦૨૪ના રોજ દાહોદની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના સુચારુ સંચાલન અને નાગરિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આ કંટ્રોલ રૂમ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની માહિતી, સહાયતા અથવા ફરિયાદ માટે સંપર્ક કરવા માટે ઉપલબ્ધ રહેશે. નાગરિકોને કોઈપણ તાત્કાલિક જરૂરિયાત અથવા સહાયતા માટે નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે:
* જિલ્લા કંટ્રોલ રૂમ નંબર: ૦૨૬૭૩-૩૫૦૦૦૧
* ઇમરજન્સી કંટ્રોલ રૂમ નંબર: ૬૩૫૯૬૨૭૧૦૭, ૬૩૫૯૬૨૯૨૮૦, ૮૭૮૦૩૯૦૩૯૭
આ તમામ કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે અને કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સજ્જ રહેશે.