કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડુત મિત્રોએ ધ્યાનમાં રાખવાના પગલાં હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૦૩/૦૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ : હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૦૩/૦૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે મોટા ભાગે ખેડુતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં નીચે મુબજના તકેદારીનાં પગલા લેવા ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

- કમોસમી વરસાદથી થતા પાક નુકશાની થી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક /તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું

- ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિણ રાખવા

- એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી. માં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે. આવતી પેદાશો આ દિવસે દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ) કે.વી. કે. અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.