મુસ્લીમ ધર્મના સાતમો મહીનો એટલે રજબ માસ ની છઠ્ઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફની દરગાહમાં આરામ ફરમાવતા સુફી સંત હજરત સૈયદ મોઇનુદ્દીન હશન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સની ઉજવણી પ્રસંગે ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈંદે ચિસ્તીયા ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ કાલોલ ખાતે ખ્વાજા સાહેબના ૮૧૩ માં ઉર્સના મોકા પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં સોમવારે રિફાઇ કમેટી દ્વારા આયોજીત જલાલી રાતીબે રિફાઈના કાર્યક્રમના બીજા દિવસે ખ્વાજા સાહેબના ઉર્સના શુભ અવસરે મંગળવારના રોજ સવારના પહોરમાં અઝીમેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રેસાઓના નાના ભૂલકાઓ તથા નાની બાળાઓ અને મોટીસંખ્યામાં આગેવાનો જોડાયા હતા.આ ઉર્સ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું અને જુલૂસ નુરાની ચોકથી પ્રસ્થાન કરીને વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચતા સલાતો સલામ બાદ જુમ્મા મસ્જીદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના સુમારે સુરત શહે૨ મોટી ગાદીના ધર્મગુરુ પીર હજરત ગોસુદ્દીન રિફાઈ સાહેબના સાહબઝાદા હઝરત સૈયદ અમીરુદ્દીન બાબા રીફાઇની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ મંગળવારના રોજ બપોરે ૨:૩૦ વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયુ હતુ આ ધાર્મિક કાર્યક્રમમાં પીરો મુર્સીદ હજરત અમીનુદ્દીન રીફાઇ બાબાની હાજરીમાં વિવિધ કાર્યક્રમો ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવ્યા હતા. અંતે ખ્વાજા સાહેબના ઉર્ષ ને લઇ રાત્રે સાડા સાત કલાકે કાલોલ શહેરની પ્રાર્થમિક કુમાર શાળા સામેના મેદાનમાં ગરીબ નવાજ કમેટી દ્રારા નિયાજનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકોએ રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ભાગ લઇ નિયાઝ આરોગી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  નાઈ સમાજ કલોલ દ્વારા 29 મો સમૂહ લગ્ન યોજાયો.. 
 
                      મોટી નાયી સમાજ, કલોલ દ્વારા ૨૯ મો સમૂહ લગ્નોત્સવ તા.11-02-2023 ને શનિવારના રોજ લીંબચ ધામ, કલોલ...
                  
   50MP कैमरा और 5000mAh बैटरी के साथ लॉन्च हुआ Samsung का नया फोन, शुरुआती दाम 10 हजार से भी कम 
 
                      सैमसंग ने अपने भारतीय ग्राहकों के लिए इस हफ्ते एक नहीं बल्कि दो फोन लॉन्च किए हैं। दरअसल इसी...
                  
    પમ્પીંગ સ્ટેશનની સફાઈ દરમિયાન લાશ મળી 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પમ્પીંગ સ્ટેશન...
                  
   
  
  
 