ગુજરાતમાં ભારે વરસાદને પગલે અન્ય ડેમોનું પાણી સાબરમતીમાં છોડાતા જળસપાટીમાં થયો વધારો, સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટ વૉક વે કરાશે બંધ

ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે ડેમનું પાણી નદીમાં છોડાતા કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે.