ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો.. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો  ) શાળાના ટ્રસ્ટી શ્રી સરદારસિંહ બારીયા , નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલ ભાઈ ડામોર , શ્રીમતિ મનીષા બેન જયેશભાઇ સંગાડા દિલીપભાઈ મકવાણા સાહેબના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ રમત ગમતની શરૂઆત કરાઈ. કબડ્ડી , ખો ખો, 100 મીટર ,400 મિટર દોડ, ગોળા ફેંક જેવી રમતો રમાઈ જેમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. ભાગ લેનાર દરેક વિધાર્થીઓ ને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

નહેરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલ ભાઈ ડામોર તથા શ્રીમતી મનીષાબેન જયેશભાઇ સંગાડા દ્વારા આચાર્ય ભેદી રણછોડભાઈ ભૂરાભાઈ,સુપરવાઈઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરિઓ લીલાબહેન તથા નિનામાં સાહેબ સન્માન કરવામાં આવ્યું.

આજનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ બાળકો ને જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્યકક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.