ગોધરા તાલુકાના અંબાલી ખાતે આવેલ બી.આર.સી.ભવનમાં તા.૧૫' ઓગસ્ટના રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો.જેમાં વિવિધ સ્પર્ધા ઓમાં તાલુકામાં પ્રથમ આવેલ સ્પર્ધકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી ભાગ લીધો હતો પંચમહાલના તમામ તાલુકાના પ્રથમ વિજેતા સ્પર્ધકોએ જિલ્લામાં ગાયન, વાદન, ચિત્ર અને બાળ કાવ્ય વિભાગમાં ભાગ લીધો હતો.ચારેય સ્પર્ધાઓમાં વિધાર્થીઓ નિર્ણાયકો એ તટસ્થ પરિણામ જાહેર કર્યુ હતું.જેમાં બાળ કવિતામાં અતુલકુમાર પટેલ,ગોધરા (પ્રથમ નંબર),સઅદ આમીર ઘાંચી, કાલોલ (દ્વિતીય નંબર), દિવ્યાબેન બારીઆ,જાંબુઘોડા (તૃતીય નંબર)એ વિજેતા થયા હતા જે તમામને પ્રમાણ પત્ર, ટ્રોફી અને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નિર્ણાયક તરીકે વિનુ બામણીયા, મહેન્દ્ર પરમાર અને પ્રવીણ ખાંટ રહી તટસ્થ પરિણામ આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર લેકચરર ઉમેશ ચૌહાણે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ડાયટ પરિવારના સિનિયર લેક્ચરર ભૂપેન્દ્ર સોલંકી તથા ગોધરા બી.આર.સી.કો. જીગ્નેશ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.