મધ્યપ્રદેશના ઉજ્જૈન-નાગદા રેલ્વે સેક્શન પર નાઈખેડી અને સરોલા રેલ્વે સ્ટેશનો વચ્ચે ગુડ્સ ટ્રેનની સામે એક પિતાએ તેની ત્રણ પુત્રીઓ સાથે કૂદીને આત્મહત્યા કરી. આ ઘટનામાં ચારેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં એક મહિલાને હેરાન કરવા વિશે લખવામાં આવ્યું છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસને સ્થળ પરથી એક

સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પિતા (રવિ)એ એક મહિલા પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ મુજબ મહિલા તેને બદનામ કરવાની ધમકી આપી રહી હતી. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જીઆરપીએફ આ મામલે તપાસ કરી રહી છે.

ભૈરવગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રવીણ કુમાર પાઠકે જણાવ્યું કે રવિ ગોયલાનો રહેવાસી હતો. તે તેની ત્રણ પુત્રીઓ સાથે બુધવારે સવારે લગભગ 10.30 વાગ્યે મોટરસાઇકલ પર નાયખેડી રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. અહીં તેણે બાઇક પાર્ક કરી હતી અને થોડા અંતરે ટ્રેક પાસે ગયો હતો.

આ દરમિયાન તેણે તેની ત્રણ પુત્રીઓ સાથે ઉજ્જૈનથી આવતી માલગાડીની સામે કૂદી પડ્યો. તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતક છોકરીઓમાં 12 વર્ષની અનામિકા, 8 વર્ષની આરાધ્યા અને 7 વર્ષની અનુષ્કાનો સમાવેશ થાય છે.