શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ દામનગરના વિદ્યાર્થી ભવ્ય હેલૈયા એ કલા ઉત્સવમા વાદન ( હાર્મોનિયમ)માં અમરેલી જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં,અભિનંદનનો ધોધ. આપણા દેશને આઝાદ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં આઝા અાઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પુરા માન અને આદરથી થઈ,તે અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ - ગુજરાત પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - અમરેલી / જીલ્લા શિક્ષણાધિકારી કચેરી - અમરેલી, જીલ્લા શિક્ષણ સમિતિ - અમરેલી દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત જીલ્લા કક્ષા એ યોજાયેલ કલા ઉત્સવ -૨૦૨૨ માં શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ દામનગરમાં ધો ૧૦માં અભ્યાસ કરતા ભવ્ય આર. હેલૈયા એ વાદન( હાર્મોનિયમ)- ( માધ્યમિક) મા ભાગ લેવા બદલ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં તા.૧૫-૮ ને સોમવારે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીમાં યોજાયેલ વિશિષ્ઠ કાર્યક્રમમાં અધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવા આવેલ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દામનગરના સંતો શ્રી કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશ દાસજી,શ્રી વિષ્ણુ ચરણ દાસજી, શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપ દાસજી અને ગુરુકુળ પરિવારે ભવ્ય ને ખુબ - ખુબ અભિનંદન પાઠવ્યા છે.