સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત સાતમા વર્ષે "એક દિયા શહીદો કે નામ" કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ જમમુ કાશ્મીર ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૮ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો નુ સન્માન કરવામાં આવ્યુ હતુ. અને શહીદો ને બે મિનીટ નુ મૌન પાળી અંજલી આપવામા આવી હતી.આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના હોદ્દેદાર, પત્રકાર અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુરમાં પાણીની સુવિધા,ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગોથી પ્રજા પરેશાન | SatyaNirbhay News Channel
રાધનપુરમાં પાણીની સુવિધા,ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગોથી પ્રજા પરેશાન | SatyaNirbhay News Channel
RIL Q2 Results: नेट प्रॉफिट 27% बढ़कर 17394 करोड़ रुपए पर रहा, बाजार को कैसे लगे कंपनी के नतीजे?
RIL Q2 Results: नेट प्रॉफिट 27% बढ़कर 17394 करोड़ रुपए पर रहा, बाजार को कैसे लगे कंपनी के नतीजे?
રાધનપુર : નવીન રોડ ખખડજડ હોવાની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર : નવીન રોડ ખખડજડ હોવાની ઘટના | SatyaNirbhay News Channel
AADHAR CARD માં નવી સુવિધા! હવે ચહેરાથી થઇ શકશે આ કામ
આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન પણ થઇ શકશેપહેલા બાયોમેટ્રિક અને આઈરીસ ડેટાથી થતું ફીઝીકલ...
Haryana Election में 15 से ज्यादा सीटें नहीं जीत पाएगी BJP, पूर्व मंत्री का दावा
हरियाणा सरकार के पूर्व बिजली मंत्री रणजीत सिंह ने सिरसा में बुधवार को भाजपा पर निशाना साधा।...