સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત સાતમા વર્ષે "એક દિયા શહીદો કે નામ" કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ જમમુ કાશ્મીર ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૮ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો નુ સન્માન કરવામાં આવ્યુ હતુ. અને શહીદો ને બે મિનીટ નુ મૌન પાળી અંજલી આપવામા આવી હતી.આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના હોદ્દેદાર, પત્રકાર અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AIMIM के नेतुत्व में TORENT POWER को लगातार बिजलिके बढ़ते बिल के खिलाफ प्रदर्शन कर शिकायत दर्ज कराई
https://fb.watch/u9GFmgrT3Q/
ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमिन गुजरात अहमदाबाद।
साबिर...
ડીસા તાલુકા પોલીસ મથકે રેવદરના ડોકટર સહિત નવ લોકો સામે ફરિયાદ નોધાઈ..
ગર્ભપાત કરાવી યુવતીને ભીનમાલના શખ્સને વેચી દીધી ત્રણ માસ ગોંધી રાખીને દુષ્કર્મ આચારાયું..
...
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
*વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલીઃ ચૂંટણી યોજવા તંત્ર સજ્જ*
*******...
આપ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું I Divyang News
આપ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું I Divyang News
Maharashtra Assembly Election 2024: MVA में 288 में से 260 सीटों का हो गया बंटवारा, 28 पर मंथन बाकी
Maharashtra Assembly Election 2024: MVA में 288 में से 260 सीटों का हो गया बंटवारा, 28 पर मंथन बाकी