ગોધરા: રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા ગાંધી આશ્રમની મુલાકાત લઈને આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આઝાદીના અમૃતકાળમાં યુવા પેઢીને આઝાદીની સંધર્ષગાથાથી અવગત કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ઉપલક્ષમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મધ્ય ગુજરાતનું મહત્વનું કેન્દ્ર સ્થાન એવા ગોધરા શહેરના ગાંધી આશ્રમની રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા ગતરોજ મુલાકાત કરવામાં આવી હતી. ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ અપાવવા આ આશ્રમમાં વર્ષ ૧૯૧૭ માં ગાંધીજીના અધ્યક્ષસ્થાને પ્રથમ રાજકીય પરિષદ યોજવામાં આવી હતી.