આજરોજ બગસરા મુકામે અમરેલી જિલ્લાના બગસરા રાજુલા જાફરાબાદ તાલુકાના રસ્તાના કુલ ૩૪.૫૦ કરોડના વિકાસકામોનું રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી તેમજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું.

જેમાં રાજુલાના વાવેરા બર્બટાણા બાબરીયાધાર તેમજ જાફરાબાદ તાલુકાના વઢેરા રોહિસા ટીંબી ને જોડતા રસ્તાનું રિસરફેસિંગ કામનું ઇ ખાતમુહૂર્ત કર્યું હતું.

આ તકે ધારી બગસરા ના ધારાસભ્ય જે.વી કાકડીયા તાલુકા જિલ્લા પંચાયત ના હોદેદારો વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી