કુકાવાવ શહેરમાં એસટી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત માટે અને કુંકાવાવ શહેરના વિકાસના કામોના ખાતમુહરત માટે આજે વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબનું આગમન થયું હતું ત્યારે તેમના આગમન પહેલા વરસાદે રસ્તાની પોલ ખોલી દીધી હતી એસટી બસસ્ટેન્ડના ખાતમુહરત કરવા જવાના સ્થળ પર પહોંચવાના રસ્તામાં ખાડાઓમા વરસાદી પાણી ભરાયા હતા ત્યારે તાબડતોબ સ્થાનિક તંત્ર દ્વારા આ ખાડાઓમાં જેસીબી દ્વારા માટીપુરાણ કામગીરી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મંત્રીઓના આગમનથી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરીઓ કરતું જોવા મળ્યું હતું અને સવાલ એ લોકોમાં ઉદ્દભવ્યો હતો કે આમ જનતાને આવા રસ્તાઓમાં આવવા જવા માટે કેવી મુશ્કેલીઓ પડતી હશે...?  સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વરસાદી ભરાયેલા પાણીમાં માટી પુરાણ કામગીરી થતી જોતા લોકોમાં પણ તર્કવિતર્ક જોવા મળ્યો અને વિપક્ષના લોકોએ સત્તાધીશો સામે કટાક્ષ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો