રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં ૧૧૩૮ રોજગારવાંચ્છુક ઉમેદવારોને ભરતીમેળોમાં બોલાવાયા હતા, જેમાંથી ૨૦૩ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર ઉમેદવારોમાંથી યોગ્યતા અને જરૂરી લાયકાતના આધારે ૧૪૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી.આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં ગોકુળ સ્નેક પ્રા.લી-રાજકોટ, પ્રયાસ ફાઈનાન્સ સર્વિસ પ્રા.લી-સુરેન્દ્રનગર, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લી.-સુરેન્દ્રનગર, એલ.આઈ.સી-ચોટીલા, જય ગણેશ હીરો-સુરેન્દ્રનગર તથા શિવ શક્તિ બાયોટેક્નોલાજી-અમદાવાદ જેવા વિવિધ નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ-ચોટીલાના કર્મયોગીઓ દ્વારા આ ભરતીમેળાને સફળ બનાવાયો હતો તેમ રોજગાર અધિકારી(જનરલ), સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RBI Report: बैंकिंग सिस्टम से पकड़े गए 2,25,769 नकली नोट, आरबीआइ की वार्षिक रिपोर्ट में हुए कई बड़े खुलासे
नई दिल्ली,आरबीआइ का करेंसी प्रबंधन वैसे तो ठीक-ठाक है लेकिन देश में नोटों का प्रचलन बढ़ रहा है और...
પાટણના હાજીપુરમાં મંદિરમાં ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
પાટણ તાલુકાના હાજીપુર ગામે મહાકાળી માતાજીના મંદિરમાં રૂ. 1.44 લાખના સોનાના ત્રણ છત્તરની ચોરીની...
સિદ્ધપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગજબનું પેઇન્ટિંગ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.
સિદ્ધપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગજબનું પેઇન્ટિંગ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.