‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા દ્વારા “સેલ્ફી પોઈન્ટ ઈંસ્ટોલેશન અને હ્યુમન ચેઈન“ થીમ અન્વયે "હું છું સ્વચ્છાગ્રહી" ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઈવમાં નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ, નગરપાલિકા કેમ્પસ સહિતનાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાના સંદેશો આપતા તેમજ આપણી આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન ફેલાવવા અંગેનો સંદેશો આપતા સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા.આ સેલ્ફી પોઈન્ટમાં નાગરિકો દ્વારા સેલ્ફી લઈ પોતાની આસપાસના પર્યાવરણનું જતન કરવા અને બીજા લોકોને પણ જાગૃત કરવા માટે ખાસ પ્રેરણાત્મક સુત્રો લખવામાં આવ્યા છે. જેથી નાગરિકોમાં જાગૃતતા આવે અને ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચે પરિણામે ખરા અર્થમાં સ્વચ્છતાનું સપનું સાકાર થાય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના શિહોરીમાં દીનેશ ઠાકોર એ ઝેરી દવા ગટગટાવી લેતાં મોત
કાંકરેજના શિહોરીમાં દીનેશ ઠાકોર એ ઝેરી દવા ગટગટાવી લેતાં મોત
વાનગી નિદર્શન તથા સુશોભન કરી પોષણ અંગે લાભાર્થીને જાગૃત કરાયા
ભુજ, બુધવાર :
બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓના પોષણ...
ગાજણવાવ ગામે સગર્ભા પરિણીતાનો કેનાલમાં પડી આપઘાત કર્યો
ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની...