જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ITBP જવાનોને લઈ જતી બસ ચંદનવાડી વિસ્તારમાં ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઘણા જવાનોના મોતની આશંકા છે અને ઘણા સુરક્ષાકર્મીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બસમાં 39 સૈનિકો સવાર હતા. તેમાં ITBP 37 અને જમ્મુ અને કાશ્મીર પોલીસના 2 જવાન હતા. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

બસમાં સવાર સૈનિકો અમરનાથ યાત્રા ડ્યુટી પરથી પરત ફરી રહ્યા હતા. ITBP કમાન્ડોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે જેથી બચાવ કામગીરી ઝડપી કરી શકાય