તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તરણેતર પધાર્યા હતા. કબડ્ડી, માટલાદોડ, નાળિયેર ફેંક, નારગોલ સહિતની દેશી રમતોમાં પોતાનું કૌવત દેખાડતા ખેલાડીઓએ આ સ્પર્ધાઓના આયોજનને બિરદાવ્યું હતું. કબડ્ડીની સ્પર્ધાના ખેલાડી શ્રી અજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "અમે ગામડામાં મોટા થયા છીએ, માટીમાં જ રમ્યા છીએ, જેથી આ ગ્રામીણ ઓલિમ્પિક અમારા જેવા અનેક ખેલાડીઓ માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ બની રહ્યું છે. અમને આ સ્પર્ધાઓમાં ભાગ લઈને ખૂબ જ આનંદ થાય છે. હું અને મારા ભાઈઓ ઈચ્છીએ છીએ કે, વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર સ્પર્ધાઓ દર વર્ષે આમ જ યોજાતી રહે જેથી અમારા જેવા અનેક ગામડાંના ખેલાડીઓને રમતગમત માટેનું સુંદર પ્લેટફોર્મ મળી રહે."ઉલ્લેખનીય છે કે, તરણેતરના મેળામાં સ્વદેશી રમતોને પ્રાધાન્ય મળી રહે તે માટે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જેમાં રમાડવામાં આવતી રમતોમાં ભાગ લેવા માટે સુરત, તાપી, જુનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અનેક ખેલાડીઓ તરણેતર પધારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চামগুৰিৰ পদুমনি-পামগাৱঁত নিশা এগৰাকী মহিলাৰ চাঞ্চল্যকৰ হত্যাকাণ্ড
চামগুৰিৰ পদুমনি-পামগাৱঁত নিশা এগৰাকী মহিলাৰ চাঞ্চল্যকৰ হত্যাকাণ্ড।
THARAD | થરાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહની ઉપસ્થિતિમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
THARAD | થરાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહની ઉપસ્થિતિમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા (પદયાત્રા)*
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા (પદયાત્રા)* ભારત સરકારના...
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું નિધન
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટનું સોમવારે...