કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં તા ૦૪/૦૯/૨૪ ને બુધવાર ના રોજ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી ના પાવન સાનિધ્ય માં જોગીલીલા અને ઢાઢીલીલા નો અતિભવ્ય મનોરથ યોજાયો હતો. આ મનોરથ શ્રી વલ્લભાશ્રય હવેલી રાજકોટ ના સુપ્રસિદ્ધ કિર્તનકારો દ્વારા કરવામાં આવ્યો હતો.આ મનોરથ માં સવારે ૧૦:૦૦ વાગે પલના દર્શન માં જોગીલીલા નો મનોરથ અને પછી રાજભોગ ના દર્શન અને સાંજે ૫:૩૦ એ ભોગ સંધ્યા ના દર્શન માં ઢાઢીલીલા નો મનોરથ અને શયન ના દર્શન કરવામાં આવ્યા હતા. આ મનોરથ નો લાભ કાલોલ ના વૈષ્ણવો એ બહોળી સંખ્યા માં લીધો હતો.આ મનોરથ નું આયોજન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારી કીર્તનકારો તેમજ યુવા કાર્યકર્તા ઓ દ્વારા ખુબ જ ઉમળકાભેર કરવામાં આવ્યું હતુ.