ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોંડલના રાજકારણમાં સ્નેહ મિલનથી ગરમાવો@Sandesh News
ગોંડલના રાજકારણમાં સ્નેહ મિલનથી ગરમાવો@Sandesh News
થરાદ : ભોરડુ ટોલ પ્લાઝા પર ડુબલીકેટ પાવતી આપી | SatyaNirbhay News Channel
થરાદ : ભોરડુ ટોલ પ્લાઝા પર ડુબલીકેટ પાવતી આપી | SatyaNirbhay News Channel
दिल्ली-NCR में हवा की गुणवत्ता 'बहुत खराब', कई जगहों पर AQI 400 के पार
दिल्ली-एनसीआर में हवा की गुणवत्ता 'बहुत खराब' श्रेणी में है। वायु गुणवत्ता सूचकांक (AQI) 392 पर...
માર્ગ તથા ગરનાળુ બનાવવા બાબતે આવેદનપત્ર
#buletinindia #gujarat #kheda
নাৰায়ণপুৰত বোলছবি প্ৰেমৰ ঢৌ শুভমুক্তি
নাৰায়ণপুৰৰ কেইগৰাকীমান উদীয়মান যুৱক-যুৱতীৰ প্ৰচেষ্টাত আজি শুভমুক্তি লাভ কৰে এখন বাস্তৱধৰ্মী...