ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhagwant Mann making political capital out of Modi govt welfare schemes: Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Bhagwant Mann government was...
Breach Of Protocol: हवाईअड्डे के लाउंज में इंतजार कर रहे थे राज्यपाल, थावरचंद गहलोत को लिए बिना उड़ गया विमान
बेंगलुरु, कर्नाटक के राज्यपाल थावरचंद गहलोत को गुरुवार को प्रोटोकॉल उल्लंघन का सामना करना...
નાના વરાછામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત
પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની...
મહેર શક્તિ સેના દ્વારા પૂજ્ય માલદેવ બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
મહેર શક્તિ સેના દ્વારા પૂજ્ય માલદેવ બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી