નડીઆદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાઓ સામજિક કાર્યકરો અને કાઉન્સિલરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને આ યાત્રાને સફળ બનાવી કોમી એકતા અને ભાઈ ચારા સાથે સર્વધર્મ સમભાવની ભાવનાથી એક સુભ સંદેશો નડિયાદ નગરજનોને પાઠવ્યો હતો. આજ રીતે આપણે સૌ સાથે મળીને નાત જાત પ્રાંત ધર્મ પંથ વર્ગ સમાજનાં ભેદભાવ વગર હમેંશા દેશની એકતા અને અખંડિતતા સાથે દેશ પ્રત્યે વફાદાર રહીને આપણાં દેશનું ગૌરવ વધારીએ અને આઝાદી એક અણમોલ ભેટ જે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અને અસ્ફાકુલ્લા ખાન જેવાં અનેક આપણાં ક્રાંતિકારી વિરોના બલિદાનના પ્રતાપે મળી તેમને યાદ કરી ખરાઅર્થમાં

શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે તે જરૂરી છે.