નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હત્યાચાર બાબતે મામલતદાર કાલોલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હિન્દુઓ પરના દમન તથા હિન્દુ ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવા જેવી હિંસક પ્રવૃત્તિઓને સખ્ત શબ્દોમાં વખોડી હિન્દુ સમાજના લોકોની સલામતી તથા જાનમાલને નુકસાન ન થાય તે અંગેના પ્રયાસની માંગ કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવી. આ અંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ રાજેશભાઈ પરમાર,મહામંત્રી વાઘાભાઈ ભરવાડ,કાલોલ તાલુકા અધ્યક્ષ ભારતસિંહ, હોદ્દેદારો છત્રસિંહ,કાંતિભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા