કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ..  કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે .ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળા ની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ વડીલો દ્વારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા જે વ્યક્તિએ દાન આપ્યું હતું તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, સહિત ગામના વડીલો ,યુવાનો ,માતાઓ બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સૌ કોઈએ સાથે મળી એ કાર્યક્રમની સફળ બનાવ્યો હતો...