વિરપુર સી.એચ.સી માં પત્નીએ પતિને બચકું ભરતાં ધનૂરના ઇન્જેકશન મુકાયું...

વિરપુરમાં પત્નીએ પતિ ને બચકું ભર્યું...

મહિસાગર જીલ્લાના વિરપુર સરકારી હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે ઘાયલ અવસ્થામાં આવેલા વ્યક્તિએ પત્નીએ બચકાં ભર્યાં હોવાની કેફિયત આપી હતી અને ધનુરના ઇન્જેકશન મુકાવ્યાં હતાં. આ મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે સામાન્ય રીતે કોઇ વ્યક્તિને સાપ, કુતરૂ કે અન્ય કોઇ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ સમયે ડોક્ટર તેમને ધનુરનું ઇન્જેકશન મુકતાં હોય છે. પરંતુ વિરપુરની સીએચસીમાં સોમવારના રોજ ઘાયલ અવસ્થામાં આવેલી વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની કેફિયત રજુ કરી હતી. જોકે, ડોક્ટરે સારવાર શરૂ કરી તેને ધનુર ન થાય તે માટે દવા પણ આપી હતી. આ અંગે કેસ પેપરમાં પણ નોંધ કરાઇ હતી. જોકે, આ મુદ્દે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ સમગ્ર મામલો વિરપુરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.....