પાલનપુર તાલુકાના આંત્રોલીનો સગીર દોઢ માસ અગાઉ રાજસ્થાનના આબુરોડ પંથકની સગીરાનું અપહરણ કરી મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. દરમિયાન સગીરાના પરિવારજનો આંત્રોલી ગામે આવી તેણીનું અપહરણ કરી હત્યા કરી નાખી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન સગીર સામે બાળલગ્નની ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં પિતા સહિત પરિવારજનોએ સગીર દીકરીનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હોવાની ઓનર કિલીંગની ઘટના સામે આવી છે. આ અંગે પાલનપુર તાલુકા પીઆઇ એમ. આર. બારોટે જણાવ્યું હતું કે, પાલનપુરના આંત્રોલીનો 20 વર્ષિય યુવકે દોઢ માસ અગાઉ રાજસ્થાનના આબુરોડ પંથકની સગીરાનું અપહરણ કરી આંત્રોલી ગામે લાવ્યો હતો. જ્યાં મહાદેવજીના મંદિરમાં બંનેએ ફૂલહાર કરી પ્રેમ લગ્ન કર્યા હતા.

આંત્રોલીનો 20 વર્ષિય યુવક આબુરોડની સગીરાનું અપહરણ કરી મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. આ અંગે બનાસકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષકુમાર જોષીએ સગીર સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીર તેમજ બાળ લગ્ન કરવામાં મદદગારી કરનારા નાથુસિંહ દેવુસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસમાં હત્યા કરાયેલા સગીરાના પિતા ડુંગરસિંહ ડાભી સહિતના પરિવારના સભ્યો વાહનમાં આંત્રોલી ગામે આવી સગીરાનું અપહરણ કરી ગયા હતા. અને તેની હત્યા કરી દીધી હતી. આ અંગે તેમની સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં તેના પિતા ડુંગરસિંહ સહિતની અટકાયત કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.