કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.