તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.